Chotila ma Khun Ka Bandla Khun

Chotila ma Khun Ka Bandla Khun – બદલો લેવા ફિલ્મી સ્ટાઈલમાં આધેડની ધોળા દિવસે ભરબજારમાં હત્યા

By dailygujratinews | April 23, 2023

Surendranagar Crime News – ઝીંઝુડા ગામના આધેડને પાંચ શખ્સોએ ચોટીલાની ભરબજારમાં સાંજના સમયે છરી જેવા ઘાતક હથિયારના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતુ તેમજ બે રાઉન્ડ ફાયરીંગ (Firing) પણ કરવામાં આવ્યું હતુ.

અક્ષય જોષી, સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લાના (Surendra) ચોટીલાના ઝીંઝુડા ગામે 8 માસ અગાઉ થયેલી હત્યાનો બદલો (Murder case) હત્યાથી લેવામાં આવ્યો છે. ઝીંઝુડા ગામના આધેડને પાંચ શખ્સોએ ચોટીલાની ભરબજારમાં સાંજના સમયે છરી જેવા ઘાતક હથિયારના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતુ તેમજ બે રાઉન્ડ ફાયરીંગ (Firing) પણ કરવામાં આવ્યું હતુ. ગણતરીની સેકન્ડોમાં હત્યા કરી પાંચ શખ્સો નાસી છુટતાં ચકચાર મચી ગઇ હતી.

 

સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં જોતા હોઇએ છે કે ખુન નો બદલો ખુન કરીને લેવામાં આવતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાજેતરમાં જ ચોટીલામાં થયેલી હત્યામાં પણ વેરનો બદલો વેરથી લીધો હોવાની વિગતો બહાર આવી છે. તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે ચોટીલા થાન રોડ પરથી બાઇક લઇ પસાર થઇ રહેલા ધર્મેન્દ્રભાઇ ખાચરને પાંચ શખ્સોએ અટકાવી છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

બે રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. તીક્ષ્ણ હથિયારના ઘાથી ગંભીર ઇજાઓ થતાં ધર્મેન્દ્રભાઇનું મોત થયું હતુ. હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. ચોટીલામાં ધોળા દિવસે ભરબજારમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ હતી. ચોટીલા પોલીસ ને ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

 

મ્રુતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ઓળખ મેળવવાના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતાં. જેમાં અગાઉ થયેલી હત્યાનો બદલો લેવા હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી.

મ્રુતક ધર્મેન્દ્રભાઇ ઝીંઝુડા ગામે રહેતા હતા જ્યાં ૮ માસ અગાઉ તેમના ઘર પાસે દારૂ પી ગાળો બોલવા મામલે ઝીંઝુડા ગામના જ માવજીભાઇ વીરજીભાઇ ગાંગડીયા સાથે બોલાચાલી થયાં બાદ ધર્મેન્દ્રભાઇએ માવજીભાઇને પાઇપથી માર મારતા સારવાર દરમિયાન માવજીભાઇનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

 

ત્યારે આ બનાવની દાઝ રાખી હત્યાનો બદલો લેવા વિનુભાઇ વીરજીભાઇ ગાંગડીયા, લખમણ વીરજીભાઇ ગાંગડીય‍ા, રાયધન કાળાભાઇ ગાગંડીયા, ભુપત કાળુભાઇ ગાંગડીયા અને અનક અરજણભાઇ ગાંગડીયાએ સાથે મળી ધર્મેન્દ્રભાઇ ખાચરનું ઢીમ ઢાળી દીધું હતુ. પોલીસે આ પાંચ શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

2 thoughts on “Chotila ma Khun Ka Bandla Khun – બદલો લેવા ફિલ્મી સ્ટાઈલમાં આધેડની ધોળા દિવસે ભરબજારમાં હત્યા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *