વ્હાલી દિકરી યોજના, રૂ. 1,10,000/- ની ફ્રી માં સહાય.

ગુજરાત રાજ્યમાં દિકરીઓનાજન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટિબધ્ધ છે અને આજ પ્રતિબધ્ધતાને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર હોઇ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં અલી દિકરી યોજના મંજુર કરવામાં આવેલ છે. આ યોજના દિકરીઓનાજન્મનેવધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનો રાજ્ય વ્યાપી અભિયાનરૂપે શરૂ કરવામાં આવેલ છે. “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત દિકરીનાજન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવા નીચે મુજબના ઉદ્દેશો સિધ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ “વ્હાલી દિકરી યોજના અમલમાં મુકવાનું ઠરાવવામાં આવે છે.

*યોજનાનો ઉદ્દેશ*

 

⫸ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.

 

⫸ દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટરેશીયોઘટાડવો.

 

⫸ દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.

 

⫸ બાળલગ્ન અટકાવવા.

 

 

 

 

 

 

 

*વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવવું*

 

⫸ ‘વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ગ્રામ પંચાયત/ સીડીપીઓ (ICDS) કચેરી/ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.

 

 

 

 

 

 

 

*અરજી કરવાની સમય મર્યાદાઃ*

 

⫸ તા.૦૨-૦૮-૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.

 

 

 

 

 

 

 

*લાભાર્થીની પાત્રતા*

 

⫸ તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલદિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

 

⫸ દંપતિની વધુમાં વધુ બે દિકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

⫸ દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.

⫸ પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.

 

⫸ પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.

⫸ દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.

 

 

 

 

 

 

 

*વ્હાલી દિકરી યોજનામાં આવક મર્યાદા*

 

⫸ ‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત લાભ મેળવવા માંગતાદંપતિની (પતિ-પત્નિનીસંયુકત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન ।.૨,૦૦,૦૦૦- કે તેથી ઓછી હોવી જોઇએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

 

 

 

*મળવાપાત્ર લાભઃ*

 

⫸ ‘વ્હાલી દિકરી યોજના’ માં

 

*પ્રથમ હપ્તો*

 

⫸દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂા. ૪,૦૦૦/- મળવાપાત્ર થશે.

 

 

 

*બીજો હપ્તો*

 

⫸નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે.

 

 

 

*છેલ્લો હપ્તો*

 

⫸ ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાચ તરીકે કુલ રૂા. ૧,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે. પરંતુ દિકરીનાબાળલગ્ન થયેલ ન હોવા જોઇએ.

 

 

 

 

 

 

 

 

 

*અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા*

 

⫸દિકરીનુંજન્મનું પ્રમાણપત્ર

 

⫸ માતા-પિતાના આધારકાર્ડ

 

⫸માતાનાજન્મનું પ્રમાણપત્ર

 

⫸માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)

 

⫸ કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા

 

⫸ સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજુસંતાન હોય ત્યારે)

 

⫸ નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનુંસોગંદનામુ

 

 

 

 

 

 

 

*વધુ માહિતી અને માર્ગદર્શન માટે નીચે આપેલ કચેરીનો સંપર્ક કરો.*

 

*ગ્રામ સ્તરે :-*

 

⫸ આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત

 

 

 

*તાલુકા સ્તરે :-*

 

⫸ જે તે તાલુકાની “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS)” ની કચેરી

 

 

 

*જિલ્લા સ્તરે :-*

 

⫸ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી

 

 

 

યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે

 

અહીં ક્લિક કરો

 

 

 

*નોંધ :-*

 

⫸ ૧૮ વર્ષની વય અગાઉ દિકરીનામૃત્યુના કિસ્સામાં “વ્હાલી દિકરી યોજના” અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *